મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ભારતમાતાના વીર સપૂતો ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી "શહીદ દિવસ” ની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનાર આ ત્રણેય મહાપુરુષોની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ એ અને બી ના વિદ્યાર્થીઓએ શહીદોની છબી સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ શાહિદ વીરોના જીવન અને તેમના દેશપ્રેમ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. અને વિદ્યાર્થીઓએ ક્રાંતિકારીઓના સંઘર્ષની ગાથા વર્ણવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જેથી શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.