મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી


SHARE











વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી

લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાંથી સામે આવી છે. જેમાં કોઈ અજાણી મહિલાએ તેની બાળકીને ત્યજી દીધી હતી અને તે ત્યજી દેવામાં આવેલ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં બાળકી જોવા મળતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં દોડી આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં કોઈ અજાણી મહિલાએ કોઈપણ કારણોસર તાજી જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને નિઃસહાય હાલતમાં ખુલ્લામાં ત્યજી દીધી હતી ત્યાર બાદ નિરાધાર બાળકીને રખડતા શ્વાને ફાડી ખાધી હતી. આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને નવજાત બાળકીને ત્યજી દેનારી નિષ્ઠુર જનેતાને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે.






Latest News