મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE





મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે વેલનાથ બાપુની પૂણ્યતીથી નિમિતે ગત તાજેતરમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આગામી તા.૨-૪-૨૬ ના રોજ વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે યોજાનાર શોભાયાત્રામાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના આગેવાનો, યુવા શક્તિ, તથા ભાઈઓ-બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું પ્રતિક છે. અને આગામી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે જેથી મોરબી જડેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન રોડથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ત્યાર બાદ નગર દરવાજા, તખ્તસીહજી રોડ, વીસી ફાટક, માહારાણા સર્કલથી ચાર રસ્તાથી સમાજની બોડીગ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેશા, દેવેશભાઈ રાણેવાડીયા અને પ્રવીણભાઈ સારલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News