મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના ઘુંટુ ગામે સ્વ.ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા અને સ્વ.છબીબેન ઓધવજીભાઈ પરેચાના પુણ્યાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી વિષ્ણુબાપુ દાણીધારીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રોતાઓને રસપાન તા.2 થી 8 સુધી શ્રી સી.એન. પટેલ વિધાલય, પરેચા પરિવાર મંદિરની સામે ઘુંટુ ગામે કરાવવામાં આવશે.

શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 નો રહેશે તેમજ ભાગવત સપ્તાહની સાથે કથામાં આવતા તમામ પ્રસંગોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત રાત્રિ કાર્યક્રમમાં ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 2 ના રોજ જયદેવ ગોસાઈ તથા હર્ષદ પટેલ, તા. 4 ના રોજ મયુર દવે તથા હર્ષદ પટેલ અને તા. 7 ના રોજ જયદીપ સોની તથા દિપકબાપુ હરિયાણી ઉપસ્થિત રહેશે. દરરોજ બપોરે કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ધર્મપ્રેમી જનતાને શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પીતાંબરભાઈ ઓધવજીભાઈ પરેચા તથા વિનોદભાઈ પીતાંબરભાઈ પરેચા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News