મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ
મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ૧૫૦૦ જેટલા રોપાઓનું કરાયું વિતરણ
SHARE









મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ૧૫૦૦ જેટલા રોપાઓનું કરાયું વિતરણ
મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શનાળા રોડ રામચોક પાસે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મયુર નેચર કલબ, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને મોરબી, ઇન્ડિયન લાયન્સ કબલ સહિતની સંસ્થાઓ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રોપા લેવા લોકો ઉમટી પડ્યા હતા અને ત્રણ કલાકમાં સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, સેતુર, આસોપાલવ, આમળા, લીમડો, કરંજ, વાયાવરણો સહિતના ૧૫૦૦ જેટલા વૃક્ષોના રોપા લોકો લઈ ગયા હતા આ રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના ફોરેસ્ટર અનિલભાઈ એરવાડિયા, મયુર નેચર કલબના એમ.જી.મારુતિ, જીતુભાઈ ઠક્કર, અજયભાઈ અનડકટ, પુષ્કરભાઈ, લવજીભાઈ બારેજીયા, ઇન્ડિયા લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, હર્ષદભાઈ ગામી, ઘનશ્યામભાઈ આધારા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

