મોરબી જિલ્લામાં પરવાનેદારોએ ૧૫મી એપ્રિલ સુધીમાં હથિયારો જમા કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
SHARE
મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, મોરબી જિલ્લામાં તા ૮/૪ ના રોજ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. જેથી ખેડૂતો, વેપારીઓ અને ખેતપેદાશ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં, ખેતરમાં રહેલા ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા પણ જણાવાયું છે. માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારી મિત્રોને પણ પોતાની જણસો સુરક્ષિત રાખવા અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસો લાવવાનું ટાળવા અથવા પૂરતી સાવચેતી રાખવા જણાવાયું છે. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ પોતાના ગોડાઉનમાં જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.