મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત


SHARE











વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી અજાણીયા 25 થી 30 વર્ષના યુવાનનો મળી આવ્યો છે અને મૃતક યુવાનના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળતા હોય વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરેલ છે જ્યારે માળિયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીપરીયાળી નામની ખરાબાની જગ્યામાં કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે યુવાનના શરીર ઉપર ઇજાના નિશાનો પણ જોવા મળતા હતા જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની વિજયભાઈ ઉકેડીયા (33) રહે. સમથેરવા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

માળીયા મીયાણાના નવાગામની સીમમાં આવેલ વલ્લભભાઈ બાવરવાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગોરધનભાઈ વિસીયાભાઈ રાઠવા (45) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતુ.ત્યારબાદ તેના મૃતદેહને માળીયા (મી) ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News