ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા


SHARE











મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા

સમગ્ર વિશ્વમાં અરાજકતા અને અશાંતિ છે જેથી માનવ મનનું સુખચેન અને શાંતિ હણાય ગઈ છે. ત્યારે વિશ્વભરમાં શાંતિ સ્થાપાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે મોરબીમાં ગુરુવારે સવારે વાગ્યે દશાશ્રીમાળી વાડી ખાતે વિશ્વ શાંતિ માટે વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું હતું તે અંતર્ગત મોરબીમાં દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની નિશ્રામાં જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન આયોજિત નવકાર મહામંત્ર ભાષ્ય જાપમાં 500 થી વધારે ભાવિકોએ વિવિધ મુદ્રા સાથે મહામંત્રના ઉદઘોષથી વિશ્વશાંતિ અને કલ્યાણ ભાવનાથી ભક્તિ અને ઊર્જામય વાતાવરણમાં પ્રાર્થના કરી હતી અને એક કલાક જાપ કર્યા હતા આ તકે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહ, મિહિરભાઈ દોશી, સાગરભાઇ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા સહિતની ટિમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને નવકારશીનો લાભ મનસુખલાલ નવલચંદ દોશી પરિવારે લીધો હતો. અન્ય દાતાઓ તરફથી પ્રભાવના અને મિષ્ટપ્રસાદ (ભાતું) આપવામાં આવી હતી.






Latest News