મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત


SHARE







વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત

વાંકાનેરની જુની દાણાપીઠમાં દુકાન ધરાવતા કરિયાણાના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરીને વધુ નફો અપાવવાની રાજકોટના શખ્સે લાલચ આપી હતી જેથી યુવાને જૂન 2025 માં કુલ મળીને છ લાખ રૂપિયાનું કાજુના ધંધામાં રોકાણ કર્યું હતું જોકે તે રૂપિયા યુવાનને પાછા આપવામાં આવ્યા નથી અને યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં રાજકોટના શખ્સ સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવા કણકોટ ગામે રહેતા અયુબભાઈ ઇસ્માઈલભાઈ શેરસીયા (32)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સબીરહુશેન મહમદભાઈ કાસમાણી રહે. ન્યુ ઘાંચીવાડ શેરી નં. 8 રાજકોટ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેની વાંકાનેરમાં આવેલ જૂની દાણા પીઠમાં સંજરી ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન આવેલ છે અને આરોપીએ ફરિયાદી સાથે પારિવારિક સંબંધ બનાવીને તેને વિશ્વાસમાં લઈને જૂન 2025 માં કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી હતી જેથી ફરિયાદીએ સમયાંતરે કુલ મળીને 6 લાખ રૂપિયાનું રોકાણ પોતાની ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢીના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાંથી રુપિયાનું રોકાણ કર્યું હતું અને રોકાણની સામે વધુ નફો આપવાની લાલચ આપી હતી જો કે આજ દિવસ સુધી ફરિયાદીને આરોપીએ તેને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં
મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપમાં ગોકુલધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પરિવારનો આયુષ રાજેન્દ્રભાઈ પરિહાર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ફીનાઈલ પી ગયો હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર રોડ કેનાલ ચોકડી નજીક સાયકલમાંથી પડી જતા ત્યાં રહેતા અનિલ સુનિલભાઈ પરિહાર (૨૨) ને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ ચંદ્રેશનગર પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા છગનભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધ  કેનાલ રોડ ખાતે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ ટંકારા ખાતે આવેલ મલ્ટીપ્લેક્સ કારખાનામાં લેબર કોટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મમતાબેન કુલદીપભાઈ પાલ નામની ૨૨ વર્ષીય મહીલા હેરડાઈ પી જતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.પોલીસે બનાવોની નોંધ કરી રાબેતા મુજબ તપાસ કરી હતી.






Latest News