મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી


SHARE













મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જે બનાવ નિવૃત એ.એસ.આઇ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જો કેચોરીના આ બનાવની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને વર્ષો સુધી પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ખાખરાળાના રહેવાસી નિવૃત એ.એસ.આઈ. આયદાનભાઇ ગજીયાનો દીકરો હિતેશભાઈ આયદાનભાઇ ગજીયા (ઉમર ૩૦) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં શેરી નંબર-૧ માં રહે છે જેનું મકાન માત્ર એક દિવસ બંધ હોય તેના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને તેના ઘરની અંદરથી ચાંદીના કડલા, ચાંદીના સંકળા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જે બનાવની નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જો કેતેઓની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને નિવૃત એ.એસ.આઈ.એ રોષની લાગણી વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ ગજીયા હાલમાં પીએસઆઇની પરીક્ષા માટે તૈયારી કરતા હોય ગાંધીનગર ખાતે ગયેલા હતા અને તેઓના પત્ની તેના માવતર ગયા હતા જેથી કરીને માત્ર એક દિવસ હિતેશભાઈનું ઘર બંધ રહ્યું હતું દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે જો પોલીસ દ્વારા પોલીસના ઘરની અંદર બનેલ ચોરીના બનાવની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો અન્ય લોકોની સાથે પોલીસ મિત્ર કઈ રીતે બનતી હશે તે સૌથી મોટો સવાલ છે અત્રે એ વાતા પણ ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ૧૦ થી વધુ દુકાનોને તોડવામાં આવી હતી તે બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો પણ ચોરીના આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને છેલ્લા દિવસોમાં વાવડી રોડ ઉપર જુદાજુદા વિસ્તારમાં નાની મોટી ચોરીની ઘટનાઓ ઘણી બનેલ છે જો કે, ફરિયાદ એક પણ બનાવમાં નોંધવામાં આવી નથી








Latest News