હળવદના ચરાડવા ગામે મજૂરીના રૂપિયા બાબતે બોલાચાલી બાદ યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું
મોરબી: ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ હેઠળ લોકોના વાંધા-સુચનો આવકાર્ય
SHARE
મોરબી: ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ હેઠળ લોકોના વાંધા-સુચનો આવકાર્ય
જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા.૨૯
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ હેઠળ નવા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન-૨૦૨૧ બહાર પાડવા હેતુ ડ્રાફ્ટ તૈયાર કરી આખરી કરતાં પહેલાં જાહેર હિતમાં લોકોના વાંધા-સૂચનો મેળવ્યા બાદ સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઇ જાહેર હિતમાં લોકોના વાંધા સૂચનો આવકારવા મુદત વધારવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આગામી તા.૯-૧ સુધી વાંધા સુચનો કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી શકાશે તેમ મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી એન.કે. મુછાર દ્વારા જણાવવામાં આવ્યું છે.