વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


SHARE













મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


મોરબીમાં રહેવાસી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમા કરેલ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, તેઓએ અગાઉ મોરબીના હિરાસરીના માર્ગના કામ બાબતે રજૂઆત કરી હતી.જેના અનુસંધાને મોરબીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી મેરજા દ્વારા આ કામનું ખાતમુર્હત પણ એક મહિનાથી પણ વધુ સમય પહેલા કરવામાં આવેલ હતું. ખાતમુર્હત થયું ત્યારે લોકો કહેતા હતા કે આ તો ખાતમુર્હત વીર છે..! કામ ચાલુ ક્યારે થશે તે નક્કી નહિ.ખરેખર તો આ ખાતમુર્હત ત્યારે જ કરવામાં આવતું હોય છે કે જયારે કામ ચાલુ કરવાનું હોય પરંતુ મોરબીના આ મંત્રીના હસ્તે તો આવા અસંખ્ય ખાતમુર્હતો થયા છે. જેમાંના ખુબજ ઓછા  કામો ચાલુ થયા છે અને ન ચાલુ થયેલા કામોમાં આ હીરાસરી માર્ગનો પણ સમાવેશ થાય છે.  

લોકો તો એમ પણ કહે છે કે આતો મુર્ખ બનાવવા માટેના ખાતમુર્હતો  છે. કામ તો ચુંટણી આવશે ત્યારે ચાલુ કરશે,  અને પાંચ વર્ષે બીજી ચુંટણી આવશે ત્યારે પૂરું કરશે અને તેનું લોકાપર્ણ કરશે..! જેવી રીતે રાજકોટ-મોરબી રોડને ફોરલેન કરવાનું કામ ગોકળ ગાયની ગતિ એ ચાલે છે. તેવું આમાં પણ થશે.માટે આ આગાહી સાચી ન પડે તે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ મુખ્યમંત્રીને લેખીતમાં વિનતી સાથે માંગણી કરેલ છે કે આ હિરાસરીના માર્ગનું કામ તાત્કાલિક ચાલુ કરાવીને તાત્કાલિક પૂરું કરવા જવાબદારોને યોગ્ય આદેશ આપવા જરૂરી છે.અને જો આવું કરવામાં નહી આવે તો છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News