વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી
SHARE
વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી
મોરબીમાં આવેલ કન્યા છાત્રાલય ખાતે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ દ્વારા સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલા દિવસે જાણીતા વક્તા અંકિતાબેન મુલાણીએ સોશ્યલ મીડિયાના યુગમાં દીકરીઓએ કઈ કઈ બાબતોનું ધ્યના રાખવું જોઈએ તેની ઉદાહરણો સાથેથી સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કાર ધામ મહિલા મંડળ દ્વારા તા. 18 અને 19 મેં ના રોજ રાત્રે કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અને આધ્યાત્મિક માર્ગદર્શન વિષે ચર્ચા કરવામાં આવી રહી છે. ગઇકાલે આ કાર્યક્રમના પહેલા દિવસે જાણીતા વક્તા અંકિતાબેન મુલાણીએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા બહેનો અને દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં ખાસ કરીને ગુજરાત કે દેશમાં બનેલી વાસ્તવિક ઘટનાઓ કે જેનથી મોટાભાગે મહિલાઓ અજાણ હતી તેની માહિતી આપી હતી અને ખાસ કરીને દીકરીઓએ સોશયલ મીડિયાના યુગમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે અને મહિલાઓએ પણ પોતાની દીકરીઓની સહેલી બનીને તેની સાથે કેવુ વર્તન કરવું જોઈએ તેની વિષેની ઉદાહરણ સાથેની સચોટ વાત કરી હતી. જો કે, આજે કાર્યક્રમના બીજા દિવસે બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે જેથી વધુમાં વધુ બહેનોને તેનો લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે.