મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનના મોત બાદ પોલીસને ખોટી માહિતી આપવાના કેશમાંં વધુ એક જેલ હવાલે


SHARE







મોરબીમાં યુવાનના મોત બાદ પોલીસને ખોટી માહિતી આપવાના કેશમાંં વધુ એક જેલ હવાલે

મોરબી તાલુકાનાં રંગપર ગામ પાસે ગત તા.૧૧ ફેબ્રુઆરીના રોજ બંધ પડેલા લુકાસો સિરામિકમાં રાત્રિના સમયે પતરા અને એંગલ ઉતારવાનું કામ કરવામાં આવી રહયું હતું.જે જોખમી કામ હોવા હતા કોઇપણ સેફ્ટીના સાધનો રાખવામા આવેલ ન હતા.કેંચી(એંગલ) કટિંગનું કામ કરતી વખતે ૨૫ ફૂટની ઊંચાઈથી નીચે પડેલા વિક્રમભાઈ પાટડિયા (૩૫) રહે.વીસીપરા મોરબીનું મોત નીપજયું હતું.આ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા.ત્યારે રાજ્ય સેવક(ડોકટર-પોલીસ) ને ખોટી માહિતી આપવામાં આવી હતી કે મહેન્દ્રનગર પાસે વાહન અકસ્માત થયેલો છે.જેથી કરીને તા.૧૪-૨ ના રોજ કારખાનેદાર અંબારામભાઈ રંગપરિયા અને જીતેન્દ્રભાઈ રંગપરિયા તેમજ કામ રાખનાર જયદિપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલભાઈ  એમ પાંચની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના સાળાએ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં કારખાનેદારો આગોતરા જમીન સાથે રજુ થયા હતા જ્યારે પોલીસ દ્વારા સૌપ્રથમ ગોપાલ અને બાદમાં જયદીપની ધરપકડ કરવામાં આવી હતી.જોકે એક વ્યક્તિ પકડવાનો બાકી હતો તેથી થોડા દિવસો પહેલા તાલુકા પોલીસ દ્વારા ધીરેન્દ્ર ઉર્ફે હિરેન દિનેશભાઇ ચાવડા સતવારા (૨૬) રહે.વજેપર શેરી નંબર-૧૧ મોરબીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા

વાંકાનેર ખાતે રહેતા વિપુલ દિનેશભાઇ દેવીપુજક નામના ૨૦ વર્ષના યુવાનને વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મારામારીમાં ઈજા થઈ હોય વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના જ ગોલાસણ ગામે રહેતા ભરતભાઈ હીરાભાઈ રતૈયા નામના ૬૫ વર્ષના વૃદ્ધને મારામારીમાં ઈજા થઈ હોય તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મેપાભાઇ વિક્રમભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થઈ હોય સારવાર માટે સિવિલે લવાયો હતો.તેમજ મોરબી જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોના ફીલ્ડ સીરામીકના લેબર કવાટરમાં રહેતા પૂનમબેન રવિન્દ્રભાઈ રાય નામની ૩૫ વર્ષીય મહિલાને કવાટર પાસે મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના લુણસર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ સાબાદભાઇ હબીબભાઈ મોવર (૩૨) તથા દિનેશભાઇ પાલાભાઈ રાઠોડ (૨૪) રહે.મોરબી બંનેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે માળિયા મીંયાણાના કુંભારિયા ગામે રહેતા દર્શન રણછોડભાઈ બાબરીયા નામના ૧૮ વર્ષના યુવાને માળિયા હાઇવે રવાપર નદી ગામ પાસે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના લાલભા દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના બેલા (રંગપર) પાસેના ઓરફિના શીસિરામીકની પાસેથી બાઈક લઈને જતા સમયે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બાઈક સવાર પ્રકાશ ઉમેશભાઈ દુબે (૩૨) તથા રાજેશ તેજબહાદુર સિંગ (૪૨) રહે.બેલા ને ઇજા થયેલ હોય સારવાર માટે ખસેડાયા હતા.




Latest News