મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત


SHARE







અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં મહાકાળી ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધા કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું છે જ્યારે વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મહાકાળી ઓઇલ મિલની પાછળના ભાગમાં રહેતા લીલાબેન લાભુભાઈ મોરવાડિયા (78) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણોસર તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં યુસુફભાઈ પરારાની વાડીએ રહીને મજૂરી કામ કરતા વીરદાસિંહ નગાસિંહ રાવત (45) નામનો યુવાન વાડીએ હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતકના પરિવારજન ટીલસિંહ માનસિંહ રાવત (55) રહે. હાલ સિંધાવદર ગામ યુસુફભાઈ પરારાની વાડીએ વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News