મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે છોટાહાથીએ બાઈકને ઉડાવતા બે યુવાનોને ઈજા વાંકાનેરમાં યુવાન ઉપર ભાભી અને ભત્રીજાએ હુમલો કર્યો વાંકાનેર જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાનો ધારીયા-પાઇપથી હુમલો વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન


SHARE











વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન

વાંકાનેર ખાતે 1250થી વધુ અશકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટની રાજાવડલા રોડ પર આવેલ (ગોપાલ વાડી) ખાતે કે જયાં ગૌ માતાઓનું પણ આશ્રય સ્થાન આવેલ છે ત્યાં ગઈકાલે બપોરના અરસામાં વિશાળ ગોડાઉનમાં ગૌ માતાઓ માટે રાખેલ સુકા ઘાસચારાના જંગી જથ્થામાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા આ આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી જવા પામી હતી.

 આ ઘટનાની જાણ થતા જ ટ્રસ્ટી મહેશભાઈ રાજવીર, પાલીકા પૂર્વ ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, અમીતભાઈ સેજપાલ, રાજભાઈ સોમાણી, જતીનભાઈ ભીંડોરા સહીત સંખ્યાબંધ ગૌભકતોએ તાત્કાલીક ગોપાલવાડી ખાતે ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ટીમને પણ જાણ કરાતાની સાથે જ તે સમયસર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવેલ હતો.

સંસ્થાના પ્રમુખ મુન્નાભાઈ બુધ્ધદેવ સહીતના ટ્રસ્ટીઓની ટેલીફોન મુલાકાતમાં આ ટ્રસ્ટના ગોડાઉનમાં પંદરથી પણ વધુ ગાડી સુકો ઘાસચારો રાખવામાં આવેલ હતો જે આગામી ચોમાસા દરમ્યાન ગૌમાતાઓને અપાતો હોય છે. જેની અંદાજીત કિંમત 17થી 20 લાખ જેટલી થતી હોય છે. હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહેલ છે ત્યારે આ દુર્ઘટના બની છતા કોઈપણ જાનહાની થવા પામી ન હતી. અસંખ્ય ગૌમાતાઓના આબાદ બચાવથી ગૌ સેવકો તથા ગૌ ભકતોએ રાહતનો દમ લીધેલ હતો. અંતમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીએ ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાથી ચોમાસા દરમ્યાન ગૌમાતાને અપાતો સુકા ઘાસચારો ફરી એકત્રીત કરવા માટેની ચીંતા વ્યકત કરી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ પાલીકા સદસ્યો સાથે ટેલીફોનીક વાતચીતથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો






Latest News