મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે છોટાહાથીએ બાઈકને ઉડાવતા બે યુવાનોને ઈજા વાંકાનેરમાં યુવાન ઉપર ભાભી અને ભત્રીજાએ હુમલો કર્યો વાંકાનેર જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાનો ધારીયા-પાઇપથી હુમલો વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત


SHARE











મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત

મોરબીમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સ નામના એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી મહિલા અકસ્માતે નીચે પડી ગઈ હતી જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તે મહિલાનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના ભાગમાં કેનાલ રોડ ઉપર આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સના પાંચમા માળે રહેતા ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી (36) નામના મહિલા એપાર્ટમેન્ટના સાતમા માળે અગાસી ઉપર હતા ત્યારે ત્યાંથી કોઈ કારણસર અકસ્માતે તેઓ નીચે પડી ગયા હતા જેથી મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે રાત્રિના સમયે મહિલાના પતિ અને તેનો દીકરો પણ ત્યાં અગાસી ઉપર હાજર હતા દરમિયાન તેનો દીકરો નીચે કામ સબબ ગયો હતો ત્યારે  એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં અવાજ આવવાના કારણે ઉર્વશીબેન નીચે જોવા માટે અગાશીની પાળી પાસે ગયા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડી ગયા હતા અને તેઓને માથા તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું. તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા ફીમુબેન રાજુભાઈ ડામોર (30) નામના મહિલાને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

વાંકાનેરના ભીમગુડા ગામે રહેતા મેહુલભાઈ મનસુખભાઈ સારલા (30) નામનો યુવાન રફાળેશ્વર નજીક આવેલ બંધ પડેલા સીરામીક કારખાનાની અંદર કોઈ કારણોસર પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News