મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો


SHARE







વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો

વાંકાનેરના કાશીપર ગામે રહેતા યુવાનના પિતરાઇ ભાઈએ તે જ ગામમાં રહેતી યુવતીને ભગાડીને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી યુવતીના પિતા સહિત કુલ સાત વ્યક્તિઓ દ્વારા યુવાનનું વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી કારમાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને દીધલીયા ગામની સીમમાં લઈ જઈને ત્યાં યુવાનને કુહાડી, સળિયા, લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (32)વાંકાનેર સિટી પોલીસ કેશાભાઈ મનજીભાઈ લુંભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલભાઈના પત્ની, વાલજીભાઈ માવજીભાઈ લુંભાણી, હંસાબેન કેશાભાઈ લુંભાણી અને કરસનભાઈ લુંભાણી રહે. બધા કાશીપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા ભાવેશએ કેશાભાઈ લુંભાણીની દીકરીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે અને તે બંનેને ફરિયાદી ક્યાંક સંતાડી રાખેલ છે તેવી આરોપીઓને શંકા હોય ફરિયાદી જ્યારે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતો ત્યારે ત્યાં કેશાભાઈ, વિપુલભાઈ અને ગોપાલભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને દીધલીયા ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને કુહાડીનો ઊંધો ઘા માથાના ભાગે માર્યો હતો તેમજ સળિયા, લોખંડના પાઇપ અને ધોકા વડે બીજા આરોપીઓએ ફરિયાદીને શરીરે આડેધડ માર માર્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને કાશીપર ગામે લઈ ગયા હતા અને ત્યાં તેને છોડી મૂક્યો હતો જોકે આ બાબતે કેસ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.






Latest News