મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું


SHARE







વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું

વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અને પર્યાવરણ પ્રેમી પ્રજાવત્સલ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં વર્તમાન રાજવી રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા તાલુકાના રાજાવડલા ગામે વૃક્ષારોપણ કરી સ્વ. મહારાજ દિગ્વિજયસિંહજી ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જતિનભાઈ ફુલતરિયા, ઉપપ્રમુખ કેવિનભાઈ શાહ સહિત જિલ્લા તાલુકાના યુવા મોરચાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.






Latest News