મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડનું વેચાણ કરવામાં આવતું હોવાનો વર્ષ ૨૦૧૧ માં સીટી પોલીસ સ્ટેશન ખાતે ૫ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જે કેસમાં આરોપીઓના વકીલોએ  કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કર્યો છે.

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં તા. ૩૦/૧૨/૨૦૧૧ ના રોજ ફરીયાદી મનીષભાઈ બાબુભાઈ સોરઠીયાએ આરોપીઓ હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયા, ચંદ્રેશ રામજીભાઈ બગથરીયા, ઈમરાન હસનભાઈ બોધાણી, જીતેન્દ્ર હસમુખભાઈ મહેતા અને હીરાલાલ લખમણભાઈ કંઝારીયા સામે આઈ.પી.સી. કલમ ૧૧૯, ૪૯૫, ૪૬૭, ૪૯૮, ૪૭૧, ૧૧૪ મુજબ ફરિયાદ કરી હતી જેમાં ફરીયાદીએ આરોપી હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયાની એરસેલ મોબાઈલ સીમકાર્ડ કંપનીએ એકસ એન ચેનલના નામની ડીસ્ટ્રીબ્યુટરની ઓફીસ ધરાવતા હોય અને આરોપી ચંદ્રેશ રામજીભાઈ બગથરીયાના એ એરસેલ કંપનીના પીપેડ સેલ્સ રીપેઝટેટીવ હોય તથા આરોપી ઈમરાન હસનભાઈ બોધાણીનાઓ સીમકાર્ડ ખરીદનાર છે. આ કામના ફરીયાદીએ આ કામના આરોપીઓ પાસેથી કયારેય કોઈ સીમકાર્ડ ખરીદેલ ન હોવા છતાં આરોપીઓ એનકેન પ્રકારે ફરિયાદીના આઈ.ડી. પુફ ચુટણી કાર્ડની ઝેરોક્ષ નકલ તથા ફોટા અનઅધીકૃત રીતે મેળવી ગુજરાત સેલ્સ નામના રીટેલરના ખોટા સીકકા કસ્ટમરી એપ્લીકેશન ફોમમાં આરોપી જીતેન્દ્ર હસમુખભાઈ મહેતાના એ જીતેન્દ્ર ડેરી નામના એરસેલ કંપનીના રીટેલર હોય આરોપી જીતેન્દ્ર હસમુખભાઈ મહેતા અને હીરાલાલ લખમણભાઈ કંઝારીયાએ આરોપી હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયાની ઓફીસમાં નોકરી કરતા હતા, ત્યારે આ કામના ફરીયાદીના નામના (સી.ઈ.એફ) કસ્ટમર એપ્લીકેશન ફોમ ભરી તેના નામની ખોટી સહીઓ તેના સાચી તરીકે ઉપયોગ કરી એકબીજાને મદદગારી કરી હતી જેથી આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબીમાં બી.વી. સંચાણીયા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયા, ઈમરાન હસનભાઈ બોધાણી અને જીતેન્દ્ર હસમુખભાઈ મહેતાના વકીલ તરીકે  મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા એડ.મેનાઝ પરમાર રોકાયેલા હતા તેમજ આરોપી ચંદ્રેશ રામજીભાઈ બગથરીયાના વકીલ તરીકે કે.એ.પ્રજાપતી અને આરોપી હીરાલાલ લખમણભાઈ કંઝારીયા તરીકે ટી.બી.દોશી રોકાયેલા હતા.






Latest News