મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ
SHARE
મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ
અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ ગણાતા પુરુષોત્તમ માસ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા માનવસેવાના ભાવ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે શીતળ સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉનાળાની ગરમીમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ, રાહદારીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે 1000 ગ્લાસ તાજો શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ભક્તિ, દાન, જપ-તપ અને સેવા માટે વિશેષ મહત્વનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન કરવામાં આવતી સેવાઓ અને પરોપકારના કાર્યોનું વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાનું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આ માનવતાભર્યો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો.









