હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ


SHARE





મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ

અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ ગણાતા પુરુષોત્તમ માસ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા માનવસેવાના ભાવ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે શીતળ સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉનાળાની ગરમીમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ, રાહદારીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે 1000 ગ્લાસ તાજો શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ભક્તિ, દાન, જપ-તપ અને સેવા માટે વિશેષ મહત્વનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન કરવામાં આવતી સેવાઓ અને પરોપકારના કાર્યોનું વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાનું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આ માનવતાભર્યો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો.




Latest News