મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE







વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

દેશના વડાપ્રધાન રાજ્યના પનોતાપુત્ત નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે જેને અનુસંધાને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા શ્રી ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના સૌજન્યથી વૃક્ષારોપણ કરાયું હતું.

હાલના સમયમાં વૃક્ષોનું વાવેતર જરૂરી નહીં આવશ્યક બની ગયું છે. દર વર્ષે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેના કારણે પ્રજાજનોને તેમજ અબોલ પ્રાણીઓના જીવનું જોખમ વધી રહ્યું છે ત્યારે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તાલુકામાં વર્ષ દરમ્યાન વિવિધ સ્થળોએ વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરી ખરા અર્થમાં માનવજીવન તેમજ પશુ પંખીઓના જીવન માટે અનેરી સેવાયગ્ન કરી સમાજને પ્રેરણા પૂરી પાડે છે. વૃક્ષારોપણ પ્રસંગે કોળી સમાજના વરિષ્ઠ અગ્રણી પરસોત્તમભાઈ બાવરવા (ભુવા), ચતુરભાઈ મકવાણા, હરૂભા ઝાલા, રતીલાલ અણીયારીયા, બાબુભાઈ ઉઘરેજા, ક્રીપાલસિહ ઝાલા, ઈન્દુભા ઝાલા (તા.પં સદસ્ય), રમેશભાઈ સારલા (તા પં સદસ્ય), પ્રવિણભાઈ પંડ્યા, મુન્નાભાઈ હેરમા, હરેશભાઈ માણસુરીયા સહિતના હાજર રહ્યા હતા અને વેલનાથ ગૃપના સંજયભાઈ ચાવડા, રાકેશભાઈ બાવળીયા તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળની ટીમે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.






Latest News