મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !


SHARE







મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !

મોરબીના જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં ઉપવાસી છાવણીએ જઈને થોડા દિવસો પહેલા હકાભા ગઢવીએ ડાયરો કર્યો હતો અને ત્યાર બાદ ખેડૂતોના આંદોલન માટે મંચ ઉપરથી સરકારને વિનંતી કરી હતી અને આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું જો કે, ત્યાર બાદ હકાભા ગઢવીને ઉપવાસી છાવણી ખાતે આવવાની મનાઈ કરવામાં આવી હતી જેથી કરીને વિવાદ શરૂ થયો છે અને ત્યાર બાદ હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશ એરવાડીયા વચ્ચે થયેલ વાતનો ઓડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હકાભા ગઢવી એક જ સવાલ કરી રહ્યા છે કે મને આવવાની ના કેમ પડી ? જેની સામે ખુલાસો કરતાં નીલેશ એરવાડિયાએ કહ્યું હતું કે, હકાભા સહિત તમામ લોકો માટે છાવણી ખુલ્લી છે અને ગમે ત્યારે તેઓ છાવણીએ આવી શકે છે હાલમાં તેઓને કોઈ ગેર સમજ થઇ છે કેમ કે, આંદોલન કમિટીની મિટિંગ હતી જેથી તેઓને આવવાની ના પડી હોય શકે છે.






Latest News