મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા


SHARE







મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા

જૂની અદાવત : બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા, ફાયરિંગથી ઘવાયેલાને રાજકોટ સિવિલમાં રીફર કરાયો

માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો હતો. બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા થઈ હતી. બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા.ફાયરિંગથી ઘવાયેલને રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો

વધુમાં મળતી માહિતી અનુસાર, ઈમરાન અબ્બાસભાઈ માલાણી (ઉંમર વર્ષ 18) અને ઈદ્રીશ યાસીનભાઈ માલાણી (ઉંમર વર્ષ 30, (રહે. બંને વાંઢ ઝખડીયા વિસ્તાર, માળીયા મિયાણા, જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ માળીયાથી ઝખડિયા તરફ જતા હતા ત્યારે વાડી વિસ્તારમાં ગુલાબ જેડા, દિનમહંમદ જેડા તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી બંદૂક વડે ફાયરિંગ કરેલ અને માર મારેલ.બંનેને ઈજા થતાં સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં ઇમરાનને ફાયરિંગથી પગમાં ઈજા થઈ હોય, વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, બંને યુવાનો માળીયાથી પોતાના ઘર તરફ જતા હતા.ત્યારે આરોપીઓ કારમાં આવ્યા હતા.પ્રથમ બાઈક સાથે પાછળથી કાર અથડાવી હતી.પછી કાર ઊભી રાખીને કારમાંથી ઉતરીને બંને યુવાનોને પાઇપ વડે માર માર્યો હતો,અને ઇજાગ્રસ્તના કહેવા મુજબ બંદૂકથી ફાયરિંગ કર્યું હતું.જેમાં ઇમરાનને પગમાં છરા લાગી ગયા હતા.ઇજાગ્રસ્તના પરિવારજનોના જણાવ્યા મુજબ બે એક મહિના પહેલા સામા વાળા સાથે ઇજાગ્રસ્તોને બોલાચાલી થઈ હતી.આ ઝઘડાનો ખાર રાખીને હાલનો હુમલો કર્યો હોવાનું અનુમાન છે.માળીયા મીયાણા પોલીસે ફાયરિંગના બનાવમાં કેટલી હકીકત છે તે જાણવા પણ તપાસ હાથ ધરી છે.  #morbi #મોરબી 






Latest News