મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી  પરિવાર


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી  પરિવાર

મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજનો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે ત્યારે મોરબીના હરીશભાઈ હાલાણી દ્વારા તેમના ભાઈ સ્વ.ભરતભાઈ મણીલાલ હાલાણીનુ તાજેતરમા અવસાન થતા  બપોરના પ્રસાદમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી છે. જેમા શુધ્ધ ઘીના મોહનથાળ સહીતની વાનગીઓ પીરસવામા આવી હતી. મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ પણ સ્વ.ભરતભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરવા મા આવે છે જેમાની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ, મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફથી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષોથી પ્રદાન કરવામા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮ તથા હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવ્યુ છે.






Latest News