મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે યદુનંદન-2 માં રહેતા યોગેન્દ્રસિંહ કિર્તિસિંહ જાડેજા (ઉમર વર્ષ 35) પોતાની મહેન્દ્ર કંપની કાર નંબર જીજે 36 ટી 4311 ને લઈને ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરાપર નજીક આવેલ વળાંકમાં તેણે પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને ગાડી રોડની બાજુમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવની અંદર ઈજા થવાના કારણે યોગેન્દ્રસિંહ જાડેજાનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 43) ની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News