અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 


SHARE











મોરબીના કંડલા બાયપાસ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્ર સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક લઇને જઇ રહેલા પિતા-પુત્રને કાર ચાલકે હડફેટે લેતાં મોરબીના વાવડી રોડ સત્યમપાર્ક વિસ્તારમાં રહેતા સુનીલ રતિલાલ પરમાર (૫૭) અને કૃતાર્થ સુનીલ પરમાર (૭) ને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે રહેતા શોભાબેન પીન્ટુભાઇ મેથાણીયા નામની ૩૫ વર્ષીય મહિલાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.જયારે રફાળેશ્વર ગામે રહેતા એરાજરામ મોરારામ (૧૯) નામના યુવાનને સાપ કરડી જતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા દયારામભાઈ દેવજીભાઈ દલવાડી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ હતા ત્યારે તેઓને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર અર્થે રિફર કરાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના મકરાણીવાસમાં રહેતા હસન ઓસમાણ બ્લોચ નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News