માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે
કોરોના અનબીટન: મોરબી જીલ્લામાં વધુ ૨૦૬ કેસ, લોકોની બેદરકારી યથાવત
SHARE
કોરોના અનબીટન: મોરબી જીલ્લામાં વધુ ૨૦૬ કેસ, લોકોની બેદરકારી યથાવત
મોરબી જિલ્લામાં કોરોના હાલમાં ટોપ ગિયરમાં છે અને દરરોજ કોરોના બેવડી સદી કરી રહ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગઇકાલે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના નવા ૨૦૬ કેસ નોંધાયેલા છે અને હાલમાં ત્રીજા રાઉન્ડમાં મોરની જીલ્લામાં જે કોરોનાના નવા કેસ આવી રહ્યા છે તેમાં લગભગ ૭૫ ટકા જેટલા કેસ માત્ર મોરબી તાલુકાનાં છે.
મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો પણ લોકોની બેદરકારી યથાવત જ હોય તેવો ઘાટ હાલમાં મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કેવી રીતે કંટ્રોલમાં આવશે તે સૌથી મોટો સવાલ છે ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જિલ્લામાથી ૧૭૬૦ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કોરોનાના નવા ૨૦૬ કેસ આવ્યા છે જેથી કરીને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં ૧૧૭૩ થયેલ છે ગઇકાલે જે કેસ આવેલ છે તેની તાલુકા અને શહેર વાઇઝ માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ગ્રામ્ય ૫૯, મોરબી શહેર ૯૭, વાંકાનેર ગ્રામ્ય ૯, વાંકાનેર શહેર ૪, હળવદ ગ્રામ્ય ૧૨, ટંકારા ગ્રામ્ય ૧૮, માળિયા ગ્રામ્ય ૭ કેસ નોંધાયા છે અને છેલ્લા દિવસોમાં કોરોનાની આ ત્રીજી લહેરમાં કોરોનાના જે પોઝિટિવ કેસ મોરબી જીલ્લામા આવેલા છે તેમાં સૌથી વધુ ૭૫ ટકા કેસ એકલા મોરબી તાલુકામાં છે.