મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે


SHARE







માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્નીના વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કર્યા હતા અને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઈંટ અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. 

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોધ્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હત્યાના દિવસથી જ ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.






Latest News