ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ-૨૦૨૨નું આયોજન કર્યું


SHARE













મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ-૨૦૨૨નું આયોજન કર્યું

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ડે-સેલીબ્રેશન વીકનું આયોજન કરેલ હતું. જેમાં ગો-ગ્રીન ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દિવસને T.Y.B.Sc ના બોટની ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સએ કિચન ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરીને ખાસ બનાવ્યો હતો. આ વર્કશોપમાં કોલેજના તમામ સ્ટુડન્ટ્સને કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ સમજાવીને તેના ફાયદા સમજાવ્યા હતા. અને કેમિકલવાળા અને ઓછા ન્યુટ્રીશનવાળા વેજીટેબલ અને ફ્રુટના લીધે ઘણા બધા શરીરમાં રોગ જેવાકે ડિપ્રેશન, ડાયાબીટીશ, કેન્સર વગેરે થાય છે. જેનાથી બચવા માટે આપણે ઓર્ગેનિક વેજીટેબલ અને ફ્રુટ ખાવા જોઇએ. કિચન ગાર્ડનમાંથી આપણે  ફ્રેશ, ઓર્ગેનિક, ન્યુટ્રીશનયુક્ત અને કોસ્ટ ફ્રી વેજીટેબલ અને ફ્રુટ મેળવી શકીએ છીએ. આખા વિશ્વમાં ૨૦૨૧નું વર્ષ ઓર્ગેનિક ફ્રુટ અને વેજીટેબલ યર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાના ઘરે એક ઝાડ ઉગાડીને જાગૃતતા આપી હતી. અને નાણાંમંત્રી નિર્મલા સિતારામને ૨૦૨૨-૨૩ના બજેટમાં ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ અને મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા અને તમામ વિભાગના પ્રિન્સિપાલઓની હાજરીમાં કર્યુ હતું. સમગ્ર આયોજન પ્રોફેસર રીંકલ સિદપરાના માર્ગદર્શન હેઠળ કર્યું હતુ. અને વર્કશોપને સફળ બનાવવામાં બોટની ડિપાર્ટમેન્ટના હેડ દિવ્યા દેત્રોજા અને અન્ય સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.






Latest News