મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજીને ૫૦ મી પુણ્યતિથીએ જારીયા પરિવારે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજીને ૫૦ મી પુણ્યતિથીએ જારીયા પરિવારે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સામતભાઈ લક્ષ્મણભાઈ જારીયા પરિવારે સ્વર્ગસ્થ પિતાજીની ૫૦મી પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને સ્વ.લક્ષ્મણભાઈ ઉકાભાઈ જારીયાની ૫૦ મી પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો સામતભાઈ લક્ષ્મણભાઈ જારીયા, કાંતાબેન સામતભાઈ જારીયા, દુષ્યંતભાઈ સામતભાઈ જારીયા તથા રેણુકાબેન દુષ્યંતભાઈ જારીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત, નરેશભાઈ ઠક્કર, અજયભાઈ કક્કડ સહીતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.