મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આઠ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સ પકડાયા
મોરબીના જયસુખભાઇ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી
SHARE
મોરબીના જયસુખભાઇ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ તરફથી સી.એમ. હાઉસ ખાતે "આભાર" વ્યક્ત કરવા માટે સંસ્થાના આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીઓ આર.પી.પટેલ, દીપકભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ (રામ), વાડીલાલ પટેલ, ડી.એન. ગોલ, રૂપેશભાઈ પટેલ સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેલ હતા. અને ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી) તરફથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ૧૦૦ એકર લેન્ડમાં૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિર અમદાવાદ ખાતે નિર્માણ થાય છે તેમાં પણ યોગ્ય સાથ સહકાર આપવાનું કહેલ છે. આ પ્રસંગે જયસુખભાઇ પટેલ તરફથી મુખ્યમંત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.