મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા
મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોની યાદમાં બ્લેક ડે ઉજવાયો
SHARE
મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોની યાદમાં બ્લેક ડે ઉજવાયો
મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર ખાતે ૧૪ ફેબ્રુઆરીના દિવસને કંઈક અલગ અંદાજમાં ઉજવાયો હતો.૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ૧૪ ફેબ્રુઆરીએ પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ આ હુમલાના વિરોધમાં બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે દીકરીઓ દ્વારા માતા-પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું ડ્રામા સોંગ રજૂ કરવામાં આવ્યું અને માતા-પિતાના આશીર્વાદ લઈ એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે ભારતની ભવ્ય સંસ્કૃતિએ આપેલ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવના વિચારને સાર્થક કરતા માતા-પિતા માટે અમે આદર્શ સંતાન બની રહેશું તેમજ તેમની લાગણીઓને ક્યારેય નહિ દૂભવીએ.ભારતીય સંસ્કૃતિ પર પશ્ચિમી સંસ્કૃતિના પ્રહારો સામે વિદ્યાર્થીઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરાયું હતું.