મોરબી જીલ્લામાં રાતાવિડા પાસે દિયાન પેપર મીલની આગ ૨૦ કલાક પછી પણ બેકાબૂ : ૧૩૦ કરોડથી વધુનું નુકશાન
મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી
SHARE
મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી
'અપને આત્મબલ કો જગાનેવાલા, ખુદ કો પહેચાનને વાલા ઓર માનવ જાતિ કે કલ્યાણ કી સોચ રખને વાલા, પુરે વિશ્વ પર રાજ્ય કર શકતા હૈ, ભારતના બહાદુર શાસકોમાંના એક અને પરાક્રમી પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો.તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને પણ હંમેશા સાચો જ ન્યાય મળતો. તેથી જ તેમને હિન્દુઓના હૃદયસમ્રાટ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાલમાં પણ શિવાજી જયંતિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે.શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ પણ શિવાજી જયંતિની ઉજવણી કરી.આ બાળકોએ શિવાજીની વેશભૂષા ધારણ કરી તો કોઈએ તેમના વિશે પરિચય આપ્યો. આજના આ દિવસે હિંમત કરુણા અને સુશાસનના મૂર્તિમંત અને ભારત માતાના એક મહાન પુત્ર શિવાજી મહારાજના પરાક્રમોને યાદ કરીને બાળકોએ તેમને વંદર કર્યા હતા.









