પ્રમાણિકતાનો પાઠ: ટંકારાના લજાઈ પાસેથી રોકડા ભરેલ મળેલ થેલો પોલીસને સુપ્રત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ-માર્ગદર્શન શિબિર યોજાઈ
SHARE
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ-માર્ગદર્શન શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારામાં આવેલ નવા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોડિનેટર વાલજીભાઈ ડાભી, આર્યસમાજના આચાર્ય રામદેવજી ઉપસ્થિત રહ્યા હતા. અને રામદેવજીએ યોગએ આપણા જીવનનું એક અમુલ્ય અંગ છે તે વિશે અને અષ્ટાંગ યોગ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું. તેમજ વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ અને યોગ ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ રોગ અનુસાર યોગ અને પ્રેકટીકલ પણ કરવ્યું હતું ટંકારા તાલુકાના ખાતે કરવામાં આવેલ યોગ શિબિર માટે યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસાએ જહેમત ઊઠાવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા તાલુકામાં યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકોએ કંચનબેન એમ.સારેસા (મો.૯૫૫૮૯ ૨૬૧૮૦, ૯૬૮૭૪ ૪૨૭૩૫) નો સંપર્ક કરવા જણાવ્યુ છે