મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના કવિ જલરૂપને ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું


SHARE













મોરબીના કવિ જલરૂપને ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ ૨૬ જાન્યુઆરી નિમિતે દેશ પરદેશ આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્રારા દેશ ભક્તિ અને શોર્ય ગીત કાવ્ય લેખનની સ્પર્ધા મેગેઝિન એમ્બેસેડર ઇવાબેન પટેલ અને મેગેઝિનના કમિટી મેમ્બર્સ દ્રારા આ સ્પર્ધા યોજવામાં આવેલી હતી તેમાં ૨૨ દેશના અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલાવેલા હતા તેમાં મોરબીના યુવા કવિ જલરૂપે દ્વિતિય સ્થાન મેળવ્યું હતું. ટૂંકા ગાળામાં 'કાવ્ય અમૃત' પુસ્તકરૂપે પ્રકાશિત થશે.

આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ રેકોર્ડ કરી છે. તે અંતર્ગત મોરબી જિલ્લાના યુવા કવિ જલરૂપનું નામ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિ પામતા તેઓ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા હોલ્ડર વિથ ગોલ્ડ મેડલ બન્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી તેઓને ગોલ્ડ મેડલ, રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, પરમાર રૂપેશ નાનપણથી જ કાવ્યો લખે છે. જે 'જલરૂપ'ના ઉપનામથી ખ્યાતનામ થયા છે.જે ૧૮ વર્ષ સુધી યુવા મહોત્સવમાં ભાગ લીધેલ છે.

ગઝલ લેખન, કાવ્ય લેખન, નિબંધ લેખન, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કળા, પાદપૂર્તિ, ચિત્રકળા વગેરે સ્પર્ધામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશકક્ષાએ તેમજ રાજયકક્ષા એ નંબર મેળવ્યા છે ને આજે  તે યુવા મહોત્સવમાં નિર્ણાયક  તરીકે સેવા આપે છે.૨૦૧૯ માં તે મોરબી રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે જે હાલ ૨૨ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તે પર્યાવરણ પરિવાર ચલાવે છે. પુસ્તક પરબ મોરબીના પણ સભ્ય છે.૨૦૧૯ માં તેનું પ્રથમ અછાંદસ કાવ્ય સંગ્રહ 'આઇ લવ મી' પુસ્તક પ્રકાશિત થયું અને ટૂંકા સમયમાં 'દીકરી ને દુર્ગા બનાવો' કાવ્યસંગ્રહ પ્રકાશિત થશે.આ બધો શ્રેય તેમની માતા નર્મદાબેન અને તેમની પત્ની ધર્મિષ્ઠાને આપે છે.






Latest News