મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ
SHARE
મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ
જોધપર નદી ગામ મુકામે આવેલ સર્વે નંબર-૧૬૦/૧ પૈકી ૫ વાળી જમીન બાબતે અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરા રહે. જોધપર નદી વાળાએ કાનજી ઓધા બરાસરા વિરુદ્ધ મોરબીની દીવાની અદાલતમાં કબજા અને માલિકી બાબતે દાવા કરેલ તેમજ વગર મંજૂરી ગ્રામ પંચાયત કરેચીની પૂર્વ મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું તે ગેરકાયદેસર બાંધકામ તોડવા તથા ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ પર સ્ટે ઓર્ડર મેળવવા ટી.ડી.ઓ. મોરબી સમક્ષ અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરાએ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ અનુસંધાને અરજદાર તરફે રોકાયેલ વકીલ હર્ષદ ઓ.આંત્રેસાએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઇ તથા રેકર્ડ ધ્યાને લઈ ટી.ડી.ઓ. મોરબી દ્વારા અપીલ ચાલતા દરમ્યાન ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ સ્ટે કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં મોરબીના વકીલ પી.આર. પરમાર અને એચ.ઓ.આંત્રેસા રોકાયેલ હતા