મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મારા વિરુદ્ધ કેમ ચડવણી કરો છો.. તેમ કહીને મહિલા ઉપર ચાર લોકોનો હુમલો : ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં મારા વિરુદ્ધ કેમ ચડવણી કરો છો.. તેમ કહીને મહિલા ઉપર ચાર લોકોનો હુમલો : ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતી બે મહિલાઓને ચાર લોકોએ માર માર્યો હોય મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાવા પામી છે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદની પાસે રહેતા શકીનાબેન હનીફભાઈ ઇશાભાઈ બરેર જાતે માજોઠી (ઉમર ૩૦) તથા શેરૂબેન ઇબ્રાહીમભાઇ નામની ૩૦ વર્ષીય મહિલા એમ બે મહિલાઓને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને બંને મહિલાઓને સારવારમાં ખસેડવામાં આવી હતી ત્યારબાદ ભોગ બનેલ પૈકીના શકીનાબેન હનીફભાઈ માજોઠીએ તેમના વિસ્તારના જ રહેવાસી મુમતાજબેન સીદીકભાઈ, મહેરૂનબેન હનીફભાઇ, અફઝલ ઈદ્રીશભાઈ અને સોહિલ હનીફભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે 'તમે મહેરૂનબેનને મારા વિશે કેમ ચડામણી કરો છો..?' તેમ કહીને મુમતાજબેનને ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં મુમતાઝબેન અને મહેરૂનબેને બેફામ ગાળો આપી હતી ત્યારબાદ ઉપરોક્ત ચારેય લોકોએ તેઓને તથા સાહેદ શેરૂબેનને ઢીકાપાટુંનો માર માર્યો હતો. જ્યારે અફઝલે તેઓને લાકડી વડે માથા અને હાથના ભાગે માર માર્યો હતો હાલ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો સમીરહુશેન આશીક વડાવરીયા નામનો ૨૦ વર્ષીય યુવાનને બગથળા અને આમરણ ગામની વચ્ચે બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક રીક્ષાની સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં સમીરહુસેન વડાવરીયાને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ત્યાં એમસીઓ સીરામીક પાસે રહેતા અંબારામભાઈ શિવલાલભાઈ નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

તેમજ મૂળ બિહારના મુજજફરપુરના બીસનપુરના રહેવાસી અને હાલ મોરબીના પીપળી રોડ ઉપર રહેતા મોહમ્મદ ઇર્ષાદ શેખ જાતે મુસ્લિમ નામના ૩૧ વર્ષીય યુવાનને મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને અહીંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News