મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો


SHARE







મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો

મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા પછી ફરાર થયેલ પાકા કામના કેદીને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી અને હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર જાતે બ્રાહ્મણ રહે. શ્રીજી પેલેસબ્લોક નં. ૩૦૨ ઋષભનગર મોરબી -૨ વાળાને તા.૨૭/૦૧ થી તા .૨૮/૦૩ સુધીના વચગાળાના જામીન પરથી જેલમાંથી મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૨૯/૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હતો અને ફરાર થયો હતો તે પાકા કામના કેદીને મોરબી ઋષભનગર ખાતેથી પકડીને મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે






Latest News