મોરબી શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીમાં નવા હોદેદારોની વરણી કરાઇ
મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો
SHARE
મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો
મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા પછી ફરાર થયેલ પાકા કામના કેદીને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી અને હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર જાતે બ્રાહ્મણ રહે. શ્રીજી પેલેસ, બ્લોક નં. ૩૦૨ ઋષભનગર મોરબી -૨ વાળાને તા.૨૭/૦૧ થી તા .૨૮/૦૩ સુધીના વચગાળાના જામીન પરથી જેલમાંથી મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૨૯/૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હતો અને ફરાર થયો હતો તે પાકા કામના કેદીને મોરબી ઋષભનગર ખાતેથી પકડીને મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે









