મોરબીમાં મારા વિરુદ્ધ કેમ ચડવણી કરો છો.. તેમ કહીને મહિલા ઉપર ચાર લોકોનો હુમલો : ગુનો નોંધાયો
મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક
SHARE
મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક
જયપુર(રાજસ્થાન) માં ગત તા.૨૭ માર્ચના આરએસી કલબમાં દિવ્યાંગજનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભાશાળી દિવ્યાંગો માટે એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબીથી મનોદિવ્યાંગ જય ઓરિયા ઉપસ્થિત રહેલ.જે બદલ તેમનું સન્માન થયેલ.રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગજનોને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબીના મનોદિવ્યાંગ ને સ્થાન આપવામાં આવ્યું છે.
મોરબીના જય ઓરિયાને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવાર ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.મોરબીમાં જન્મેલ જય ઓરિયાને જન્મ સમયે ૯૦ ટકા ડાઉન સિન્ડ્રોન(મંદબુદ્ધિ) ની સ્થિતી હતી.પરંતુ માનવતાવાદી ડોકટરોની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમથી સમયસરનું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિકશક્તિઓ વડે સાચી કેળવણી થવા પામેલ છે. દિવ્યાંગ બાળકને પણ શરૂઆતનાં તબક્કાથી જ એક્ટિવિટી કરવામાં આવે તો અનુભવોથી ઘણું બધું શીખે છે.પરિવારનો સકારાત્મક અભિગમ હોય અને સાચી સમજ કેળવી બાળકની ક્ષમતા મુજબ મથામણ કરાવવામાં આવે તો દરેક બાળક ભગવાનનું સર્જન છે.તેમાં કોઈ ખામી હોઈ શકે નહીં.









