મોરબીના પંચાસર રોડે પાર્ક કરેલી કારમાંથી 336 બોટલ દારૂ-96 બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
વાંકાનેરમાં બે સગીરાના બાવડા પકડીને પજવણી: ચાર સામે નોંધાઈ ફરિયાદ
SHARE
વાંકાનેરમાં બે સગીરાના બાવડા પકડીને પજવણી: ચાર સામે નોંધાઈ ફરિયાદ
વાંકાનેર સિટી પોલીસની હદમાં બે સગીરાની પજવણી કરવામાં આવી હતી જેથી કરીને સગીરાની માતાએ હાલમાં ચાર શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે
વર્તમાન સમયમાં લોકો માટે લાલબત્તી સમાન ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે અને ખાસ કરીને સગીરાઓ સાથે છેડતી, પજવણી તેમજ દુષ્કર્મ આચરવા જેવી ઘટનાઓ બનતી હોય છે આવી જ એક ઘટના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી અને તેમાં બે સગીરાઓના બાવડા પકડીને બે શખ્સો દ્વારા પજવણી કરીને તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી રહી હતી અને દરમિયાન બે શખ્સોએ તેને મદદગારી કરી હતી જેથી કુલ મળીને ચાર શખ્સોની સામે સગીરાની માતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુ ઉર્ફે ભારત વસંતભાઇ વોરા, ભરત ઉર્ફે કાળું પ્રેમજીભાઈ વોરા, મુકેશ રમેશભાઈ વોરા અને વસંત રતિલાલ વોરા રહે, બધા જ રાતીદેવરી ગામ વાળાની સામે ફરિયાદ નોંધવી છે જેથી પોલીસે આઇપીસી ૩૫૪ (એ) પોકસો એક્ટની કલમ ૧૨, ૧૬ અને ૧૭ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બિયરના ૩ ટીન
હળવદમાં આવેલ ગોરલપીર મંદિરની બાજુમાંથી બીયરના ત્રણ ટીન સાથે કાનજીભાઈ ઉર્ફે વિપુલ જેસિંગભાઈ પરમાર જાતે દલવાડી (ઉંમર ૩૫) રહે. ઘનશ્યામપુર અને હાર્દિક ઉર્ફે કાલી અંબારામભાઈ દલવાડી રહે. ઘનશ્યામપુર વાળાની હળવદ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે









