મોરબી જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજી જન્મદીનની ડોકટરે કરી ઉજવણી
મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત
SHARE
મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત
મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ તેમજ ઉધોગપતિ અને સામાજિક કાર્યકર પંકજભાઈ રાણસરીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેની ગામની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી અને તેમણે એવિ જાહેરાત કરેલ છે કે, "દિકરી મારી લાડકવાયી" ના સુત્રને સાર્થક કરવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની સર્વજ્ઞાતિજનોની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે તેવી જાહેરાત કરેલ છે અને હાલ જ્યારે ગામમાં વિકાસકાર્યને લઈને ગામનું વર્ષો જુનું તળાવ ગંદકીથી ખદબદતુ હોય અને બાજુમાં જ સ્કુલો આવેલી છે ત્યારે બુરાણ કરી આશરે દશ વિઘા જમીન ખુલ્લી કરી ડેવલોપનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ગામના મેઈન રસ્તાના દબાણ હોય ત્યાં પહોળા કરી રહ્યા છે. ત્યારે આજના પંકજભાઈ રાણસરીયાના જન્મદિવસ નિમિત્તે સોનામાં સુગંધ ભળી હોય તેમ ગ્રામજનોનો ઉત્સાહ જોઈ પંકજભાઈ રાણસરીયાએ પોતાના સ્વખર્ચે ગામની તમામ સમાજની દિકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવર આપવા નિર્ધાર કર્યો છે









