મોરબી કોર્ટના નોન જયુડીશ્યલ કર્મચારીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે બોર્ડ જ નહીં જીવનની દરેક પરિક્ષામાં સફળ કેવી રીતે થવુ તે અંગે સેમીનાર યોજાયોમી
SHARE
મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે બોર્ડ જ નહીં જીવનની દરેક પરિક્ષામાં સફળ કેવી રીતે થવુ તે અંગે સેમીનાર યોજાયો
"પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ..? હું પડકારો ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું." કર્મયોગી એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રચિત ઉપરની પંક્તિઓ જ બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ માટે હકારાત્મકતા કેળવવા માટેનું રસાયણ છે.પરીક્ષા પે ચર્ચાના પ્રધાનમંત્રીના સંવાદમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તેનો મંત્ર તો હતો જ સાથોસાથ જીવનમાં આવનારી દરેક પરીક્ષાઓમાં કઈ રીતે સફળ થવું એનું પણ મોટિવેશન હતું.
વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકોને પણ માર્ગદર્શન મળી રહે તેના ભાગ રૂપે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સમગ્ર ભારતવર્ષમાંથી આવેલ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથેના સંવાદનું બી.આર.સી ભવન મોરબીના હોલમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ.બી.આર.સી.ભવન મોરબી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, ડી.ડી.ઓ. ભગદેવ, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કાવરની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો લાઈવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં ત્રાજપર, કલ્યાણ ગ્રામ તેમજ પોટરી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ કાંજીયા, રીકીતભાઇ વિડજા, ચંદ્રકાન્તભાઈ બાવરવા, હરદેવભાઇ ડાંગર તેમજ બી.આર.સી ટીમની વિશેષ ભૂમિકા રહી હતી.









