મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત


SHARE

















ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત

સરકાર દ્વારા ધો. ૧૦ માં વિદ્યાથીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થી પાસ થયા છે જેથી કરીને ટંકારા તાલુકામાં ધો. ૧૧ વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત છે કેમ કે, હાલમાં બધી જ શાળા હાઉસફુલ થઈ ગયેલ છે જેથી જિલ્લા પંચાયતની ટંકારા બેઠકના સદસ્ય અને અન્ય ભાજપના અગ્રણીઑએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરેલ છે

સરકારે ધો. ૧૦ માં માસ પ્રમોશન આપેલ છે જેના કારણે દર વર્ષ કરતા આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે જેથી ધો. ૧૧ માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગો ઉભા કરવા બાબતે જિલ્લા પંચાયતના ટંકારાના સભ્ય ગોધાણી ભુપેન્દ્રભાઈ અને ભાજપના આગેવાન નથુભાઈ કડીવારએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષે ૨૦૨૦૨-૨૧ માં કૉવિડ-૧૯ ને કારણે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે. ટંકારા તાલુકાની કુલ ૧૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧૦ ના વર્ગો ચાલે છે. પરંતુ માત્ર ૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી. ત્યારે જો નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સમાવી શકશે માટે હાલમાં ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત થઈ ગયા છે




Latest News