મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી


SHARE











મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી

મોરબી તાલુકાના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે ત્રણ મકાનના તાળાં તોડીને ત્રણ મકાનોમાથી તસ્કરો સોના અને ચાંદીના દાગીના મળીને ૯૧ હજારના મુદામાલની ચોરી કરીને લઈ ગયા છે જેથી કરીને ભોગ બનેલા મકાન માલિકની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરેલ છે જેથી હાલમાં રજનીકાંત ગંગારામભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રોયલ પાર્કમાં તેના મકાનમાં તસ્કરોએ તાળા તોડી પ્રવેશી કર્યો હતો અને ૪૦ ગ્રામ ચાંદીના દાગીના અને ૧૭ ગ્રામ સોનાના દાગીના જે કુલ ૫૮૦૦૦ અને રોકડા ૧૦૦૦૦  તેમજ તેમની બાજુમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈના મકાનમાંથી રોકડા ૧૧૦૦૦ અને બળદેવભાઈ મગનભાઈના મકાનમાંથી રોકડા ૧૨૦૦૦ આમ કુલ ૯૧ હજારના માલની ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ બનાવની તપાસ મોરબી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે 






Latest News