મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી


SHARE







મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી

મોરબી તાલુકાના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે ત્રણ મકાનના તાળાં તોડીને ત્રણ મકાનોમાથી તસ્કરો સોના અને ચાંદીના દાગીના મળીને ૯૧ હજારના મુદામાલની ચોરી કરીને લઈ ગયા છે જેથી કરીને ભોગ બનેલા મકાન માલિકની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરેલ છે જેથી હાલમાં રજનીકાંત ગંગારામભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રોયલ પાર્કમાં તેના મકાનમાં તસ્કરોએ તાળા તોડી પ્રવેશી કર્યો હતો અને ૪૦ ગ્રામ ચાંદીના દાગીના અને ૧૭ ગ્રામ સોનાના દાગીના જે કુલ ૫૮૦૦૦ અને રોકડા ૧૦૦૦૦  તેમજ તેમની બાજુમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈના મકાનમાંથી રોકડા ૧૧૦૦૦ અને બળદેવભાઈ મગનભાઈના મકાનમાંથી રોકડા ૧૨૦૦૦ આમ કુલ ૯૧ હજારના માલની ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ બનાવની તપાસ મોરબી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે 






Latest News