મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













ટંકારાના હરીપરપાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના હરીપર ગામ પાસે પુલિયા નજીક બાઇક લઈને પસાર થતાં યુવાનનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હજનાળી ગામે રહેતા ચિરાગભાઈ અનિલભાઈ ઓરીયા જાતે તરગાળા (૨૯) ગત તા. ૧૬/૮ ના સાંજના સાતેક વાગ્યાના સુમારે ટંકારાથી ગોંડલ તરફ મસીના ઘરે જન્માષ્ટમી ઉપર જતો હતો ત્યારે ટંકારાના હરીપર ગામ પાસે બાઈક નં જીજે ૩ એફએમ ૪૮૫૬ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ચિરાગભાઈ ઓરિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં મૃતક યુવાનના ભાઈ જીગરભાઈ અનિલભાઈ ઓરીયા (૨૬) રહે, હજનાળી વાળાની ફરિયાદ લઈને ટંકારા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
 
મોરબીના સામાકાંઠે આવેલી માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતો સુનિલ મોહનભાઈ સોલંકી નામનો યુવાન નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં વિજયનગર વિસ્તારમાં રહેતા આશાબેન અમૃતભાઈ સોલંકી નામની ૪૦ વર્ષની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
 
મહિલા સારવારમાં
 
મોરબીના આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટર પાસે આવેલ બિલ્ડીંગમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં લક્ષ્મીબેન અર્જુનભાઈ રાવળ નામની ૨૨ વર્ષની મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીકના પ્રેમજીનગરમાં રહેતા મનીષ કિશોરભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.







Latest News