મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન


SHARE













મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરની જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી મેઘવાડ  સમાજના લોકો આવતા હોય છે અને મેળાના છેલ્લા દિવસે લગ્ન થેયલા દંપતીના ફરીથી લગ્ન કરાવવામાં આવે છે અને તેના લીધે આ મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે

ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે અને પાલણપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્‍યા છે. અને તેમણે બારમતી સંપ્રદાય’ ની સ્‍થાપના કરી હતી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે. આ વેદવાણી-ભવિષ્‍યમાં સમાજને ઉપકારક સાબિત થઇ છે અહિયાં દર વર્ષે ભાદરવા માહિનામાં નોમ, દસમ અને અગિયારસનો મેળો ભરાઈ છે જેમાં દૂર દૂરથી સમાજના લોકો આવે છે અને ત્યાં કપુરીયા કુંડમાં સ્‍નાન કરી જાણ્‍યે-અજાણ્‍યે પોતાનાથી થયેલા પાપમાંથી લોકો મુકિત મેળવે છે. ત્‍યાર પછી બધા લોકો સરગ પાવડીએ જાય છે. અને ત્‍યાં પોતાના ગુરૂ પાસે મુકિતનો માર્ગ માગે છે. અને અગીયારસના દિવસે લોકો ઢોલ-નગારા સાથે એક વખત જે લોકોના લગ્ન થયા હોય તે જ દંપતિ ફરી પાછા અહી લગ્ન કરી છે અને અહિયાં લગ્ન કરવાથી સાત જન્મ સુધી દંપતી એક થઈ જાય છે તેવી માન્યતા હોવાથી દંપતી અહી મેળામાં આવે છે અને લગ્ન પણ કરે છે








Latest News