મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે ઝઘડામાં કાકા-ભાઈઓને છોડાવવા પડેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













ટંકારાના છતર ગામે ઝઘડામાં કાકા-ભાઈઓને છોડાવવા પડેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં રહેતા યુવાનના ભાઈ, કાકા અને કાકાના દીકરાની સાથે ત્યાં જ રહેતા ત્રણ શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને યુવાન વચ્ચે પડ્યો હતો ત્યારે યુવાનને ગાળો આપીને ઢીકા પાટીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં અબ્દુલભાઈ ની પાનની દુકાન પાસે ફરિયાદી એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૧૮) ને રાજુભાઈ વસતાભાઈ પરમાર, અર્જુન રાજુભાઈ પરમાર અને ક્રિષ્ના રાજુભાઈ પરમાર દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા એગરાજભાઈ પરમાર દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીઓ તેના કાકાના દીકરા સોહન, તેના ભાઈ યુવરાજ અને કાકા પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર સાથે ઝઘડો કરતા હતા જેને છોડાવવા માટે થઈને તે વચ્ચે પડ્યો હતો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News