મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે વાડીએ ઝેરી દેવા પી ગયેલ આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ


SHARE













ટંકારા તાલુકાના હમીરપર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા આધેડ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટમાં લાવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તેનુ મોત નિપજ્યુ હતુ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા રમેશભાઈ વસ્તાભાઈ કરસીયા (ઉંમર ૫૦) હમીરપર ગામે જયંતીભાઈ ડાયાભાઈની વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News