મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી


SHARE













ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી

ટંકારા નજીક આવેલ ગોડાઉનમાં મૂકવામાં આવેલ જીરાના જથ્થામાંથી ૬૮ કટ્ટા (કોથળા)ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૮.૧૬ લાખનું જીરું તથા એક વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શિવધારા રેસીડેન્સી ખાતે રહેતા અને ટંકારા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઇઝ નામનું ગોડાઉન ધરાવતા પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણી જાતે પટેલ (ઉંમર ૫૭)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૫/૧૧ ના રોજ રાત્રિના ૯:૩૦ થી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તિરૂપતિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં તસ્કરોએ ગોડાઉનનું સટર તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરાના જથ્થામાંથી જીરાના કટ્ટાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૮.૧૬ લાખ રૂપિયાની કિંમતનું જીરું તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા વાઘજીભાઈ બેચરભાઈ બાવરવા (ઉમર ૯૨) ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News